ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા છે. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં કુલ 788 લોકો મતદાન કરવા માટે લાયક હતા. જેમાંથી 781 લોકોએ ભાગ લીધો હતો. જયારે મતદાનની ટકાવારી 98 ટકા હતી. જેમાં કુલ 767 મત પડ્યા હતા. જેમાંથી 752 મત માન્ય હતા. સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા જ્યારે તેમના વિરોધી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. તેમણે આ ચૂંટણી 152 મતના માર્જિનથી જીતી હતી.ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં 767 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.સીપી રાધાકૃષ્ણનને પીએમ મોદી સહિતે શુભેચ્છા આપી હતી.