નેપાળમાં થયેલા પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ, વચગાળાના વડાપ્રધાન સુશીલા
કાર્કીના સરકારી નિવાસસ્થાન બહાર મોડી રાત્રે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી કાર્કીને મળવા માટે રાહ જોયા
બાદ, તેમની ધીરજ ખૂટી ગઈ અને તેમણે સૂત્રોચ્ચાર કરવાનું શરુ કર્યું. આ પ્રદર્શનકારીઓ સુશીલા
કાર્કીના ઘર બહાર ધરણા પર પણ બેસી ગયા, જેના કારણે પોલીસ સુરક્ષા વધારવામાં આવી.
નેપાળમાં થયેલા આ હિંસક પ્રદર્શનોમાં કુલ 51 લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં 21 પ્રદર્શનકારીઓ હતા. આ
ઘટનામાં 1300થી વધુ લોકો ઘાયલ થયા. તેમજ હિંસા દરમિયાન 13,000થી વધુ કેદીઓ જેલમાંથી
ભાગી ગયા હતા. પ્રદર્શનકારીઓએ ભારે તોડફોડ કરી હતી અને સંસદ ભવન તેમજ સુપ્રીમ કોર્ટમાં આગ
લગાવી દીધી હતી. Gen-Z દ્વારા થયેલા આ વિરોધને કારણે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીને
રાજીનામું આપવું પડ્યું.આ ઘટના બાદ નેપાળની કમાન 73 વર્ષીય સુશીલા કાર્કીને સોંપવામાં આવી.
Gen-Zનો ટેકો મળતા જ, તેમણે સત્તામાં આવતાની સાથે જ તાત્કાલિક પગલાં લીધા. તેમણે પૂર્વ
વડાપ્રધાન કેપી ઓલી વિરુદ્ધ 8 સપ્ટેમ્બરના પોલીસ દમન મામલે એફઆઈઆર દાખલ કરાવી. આ
ઉપરાંત તેમણે શનિવારે આખો દિવસ Gen-Zના પ્રતિનિધિઓ અને અન્ય રાજકીય તેમજ સામાજિક
જૂથો સાથે ચર્ચા-વિચારણા પણ કરી.