બુધવારે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા ત્રાટક્યું. મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ-યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું. ગંજમ કિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ૮૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ઓડિશાઃ ચક્રવાતથી આઠ જિલ્લાઓ (દક્ષિણ) પ્રભાવિત થયા છેઃ ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ૧૧,૦૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૩૦,૦૦૦ વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ત્રીસૅડ્ઢઇહ્લ ટીમો અને પાંચ દ્ગડ્ઢઇહ્લ ટીમો તૈનાત કરવામાં આવી છે.ગઈકાલે રાત્રે, ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યું. મંગળવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી લગભગ ૧ વાગ્યા સુધી લગભગ પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું. આ સમયગાળા દરમિયાન, ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જે ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો.

મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા. શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો. કોનાસીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતાં મૃત્યુ થયું. ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય ઘાયલ પણ થયા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. તેની તીવ્રતા ઘટશે. મોન્થા ૩૦૦ કિમીના વિસ્તારને આવરી લે છે.





