સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ આતંકવાદી ષડ્યંત્રની સઘન તપાસ કરી રહી છે, ધરપકડ કરાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અહેવાલ છે કે આરોપી ડોક્ટર ઉમર નબીના જમ્મુ અને કશ્મીરના પુલવામા જીલ્લામાં આવેલા નિવાસસ્થાનને તોડી પાડવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ પુલવામા જીલ્લાના કોઈલ ગામમાં આવેલું ઉમર નબીનું ઘર તોડી પાડ્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ને મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોક્ટર નબીના સાથે જોડાયેલા છ લોકોની ધરપકડ કરી, જેમાં તેના પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે.






