Tuesday, December 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ભારત સાથે તણાવભરી સ્થિતિમાં ઝડપથી સુધારો કરે તે આવશ્યક : રશિયા

દૂતાવાસ પરના હુમલા અને લઘુમતી હિન્દુઓ પર થતી હિંસાને લઈને ભારતની નારાજગી અંગે રશિયન રાજદૂતનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2025-12-23 12:00:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશ અત્યારે ગંભીર અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં લઘુમતીઓ વિરુદ્ધની હિંસા અને ભારત વિરોધી સૂત્રોચ્ચારોએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીઓ પર અનિશ્ચિતતાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રશિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવને ઘટાડવા અપીલ કરી છે.
બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ગ્રિગોરીવિચ ખોજિને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ જેટલી વહેલી તકે ઓછો થાય તેટલું બંને દેશો માટે સારું છે.’ આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તેમણે ‘ભરોસો અને વિશ્વાસ’ કેળવવા પર ભાર મૂક્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા કોઈના આંતરિક મામલામાં દખલ નથી કરી રહ્યું, પરંતુ પરિસ્થિતિ વધુ ન બગડે તે જોવું સમજદારીભર્યું છે.12 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનારી ચૂંટણીઓ માટે રશિયાએ પણ તૈયારી બતાવી છે. રશિયન રાજદૂતે જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશના ચૂંટણી પંચ સાથે સંપર્કમાં છે અને સત્તાવાર આમંત્રણ મળ્યા બાદ ચૂંટણી નિરીક્ષકો મોકલવા અંગે વિચારણા કરશે.
ભારત અત્યારે બાંગ્લાદેશમાં પોતાના દૂતાવાસ પરના હુમલા અને લઘુમતી હિન્દુઓ પર થતી હિંસાને લઈને સખત નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે રશિયાની આ દરમિયાનગીરી કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.

Tags: alexander grigorievich khojin advice bangladeshreduce tenssion india
Previous Post

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો

Next Post

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

dharmendravaghela

dharmendravaghela

Related News

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે
તાજા સમાચાર

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

December 23, 2025
નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા
આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

December 23, 2025
હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે
તાજા સમાચાર

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

December 23, 2025
Next Post
હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.