Tuesday, December 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

અંગ્રેજોનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ દૂર થતા હવે સમય અને ખર્ચની થશે બચત

dharmendravaghela by dharmendravaghela
2025-12-23 12:02:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતની સંસદે સુધારો કરીને હિન્દુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના નિયમોના જાણકારોનું કહેવું છે કે મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા. તેમ જ પ્રોબેટ મેળવવા માટે 50 હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ પણ થઈ જતો હતો. હવે આ ખર્ચની જફામાંથી મુક્તિ મળી જશે.

અંગ્રેજોનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ હતો. ભારતની સંસદે કોર્ટની માન્યતા લેવાની સિસ્ટમને કાઢી નાખવાનો નિર્ણય કર્યો હોવાથી દેશના અનેક પરિવારો માટે વસિયતનો અમલ કરાવવો સરળ બની જશે. ભારતની સંસદમાં જૂના કાયદાઓ રદ કરતા અને સુધારાઓ અમલમાં લાવતા ખરડા પસાર કરી દેવામાં આવતા આ સુધારો અમલમાં આવી ગયો છે. પ્રસ્તુત બિલના માધ્યમથી 71 જૂના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત ગણાતા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાર અન્ય કાયદાઓમાં ફેરફાર કરીને કાયદાકીય માળખું સરળ બનાવવામાં આવ્યું છે. બ્રિટીશ કાળથી અમલમાં આવેલી ભેદભાવપૂર્ણ જોગવાઈઓ દૂર કરી દેવામાં આવી છે.

લોકસભામાં મંજૂરી બાદ રાજ્યસભામાં પણ મૌખિક મતદાનથી પ્રસ્તુત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, આ કાયદો નાગરિકોના ઈઝ ઓફ લીવિંગ-જીવનની સરળતા-વધારવા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે તે બિનજરૂરી કાનૂની અડચણો ઊભી કરતી જૂની જોગવાઈઓ દૂર કરે છે. આ સુધારો ભારતીય વારસા અધિનિયમ, 1925ની કલમ 213 સાથે સંબંધિત છે. હાલના કાયદા મુજબ બોમ્બે પર આ જોગવાઈ લાગુ પડતી ન હતી, જેના કારણે ધર્મ અને ભૂગોળ આધારિત અસમાનતા સર્જાતી હતી.

Tags: hinduindiano probate for will
Previous Post

બાંગ્લાદેશ ભારત સાથે તણાવભરી સ્થિતિમાં ઝડપથી સુધારો કરે તે આવશ્યક : રશિયા

Next Post

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે
તાજા સમાચાર

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

December 23, 2025
નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા
આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

December 23, 2025
બાંગ્લાદેશ ભારત સાથે તણાવભરી સ્થિતિમાં ઝડપથી સુધારો કરે તે આવશ્યક : રશિયા
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ભારત સાથે તણાવભરી સ્થિતિમાં ઝડપથી સુધારો કરે તે આવશ્યક : રશિયા

December 23, 2025
Next Post
નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.