Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શક્તિસિંહ ગોહિલના પરિવારમાં દુઃખદ ઘટના ; ભત્રીજાથી અકસ્માતે ગોળી વાગતા પત્નીનું મોત -આઘાતમાં પોતે પણ સુસાઇડ કર્યું,એકના એક દીકરાના મોતથી પરિવાર સ્તબ્ધ

મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ વન અધિકારી હતા, બે માસ પૂર્વે જ લગ્ન કર્યા હતા ; યશરાજસિંહ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે ગોળી છૂટી અને પત્ની રાજેશ્વરીબાના ગળામાં વાગી ગઈ

dharmendravaghela by dharmendravaghela
2026-01-22 11:57:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરીબા ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવમાં મળતી વિગતો મુજબ દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજનાં 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતાં. મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતાં વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા. મૃતક યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, NSUIમાં પણ તેઓ કાર્યરત હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમનાં માતા પણ ફ્લેટમાં હાજર હતાં. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. જયારે 108 ઈમર્જન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11:45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતાં તેઓ મૃત હતાં, જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી, જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
બીજી બાજુ બનાવની જાણ થતાં જ અમિત ચાવડા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ અમદાવાદ સિવિલ પહોંચી ગયા હતા, સાથે જ ભાજપનેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શક્તિસિંહને મળી સાંત્વના આપી હતી. જયારે ભાજપના નેતા જયરાજસિંહ પરમારે રડતાં રડતાં વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘટનાની ખબર પડતાં જ તાત્કાલિક આવી ગયો છું. ત્રણ દિવસ પહેલાં જ મને મળ્યા હતા. અગાઉ તેના પિતા પણ કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ખૂબ દુઃખ થાય છે કે દીકરા સાથે આ રીતની ઘટના બની છે. અત્યારે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી. શક્તિસિંહભાઈના ઘરે જ તેઓ મોટા થયા હતા. મારા મામાના દીકરાનો ભાઈ હતો, જેથી ખૂબ દુઃખ થાય છે. ખુશીથી જીવન પસાર કરતા હતા. અચાનક તેના ભાગ્યમાં કંઈ લખાયું અને આ ઘટના બની છે.બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવાયા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરાશે તેમ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

Tags: Ahmedabadsansad's nephew killed wife &suicide
Previous Post

દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Next Post

Кракен даркнет: актуальные зеркала, вход и функционал маркета в 2026 году

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post

Кракен даркнет: актуальные зеркала, вход и функционал маркета в 2026 году

ભાવનગરમાં સ્ક્રેપના વેપારીના બંધ ફ્લેટમાં ચોરી અંગે બે મહિલા સહીત ત્રણની ધરપકડ

ભાવનગરમાં સ્ક્રેપના વેપારીના બંધ ફ્લેટમાં ચોરી અંગે બે મહિલા સહીત ત્રણની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.