તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા ટુ-વ્હીલર ઉપર દવા લેવા માટે ઠાડચ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઠળિયા ગામ પાસે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીને ગંભીર ઇજા થતાં સારવાર માટે સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
