જતીન સંઘવી -ભાવનગર,તા.13
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૧૪/૦૨/૨૦૨૬ (શનિવાર) ના રોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં સવારે ૧૦:૩૦ કલાકે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ૧૨ જ્યોતિર્લિંગ સહિત ૧૭ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ, બપોરે ૧૨:૧૫ કલાકે સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે શહીદ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત અને આર્થિક સહાય ચેક અર્પણ કરશે, બપોરે ૧ કલાકે ભાવનગર અધેવાડા બસ ડેપો, અધેવાડા ખાતે “PM e-Bus Sewa” યોજના અંતર્ગત ઈકો-ફ્રેન્ડલી ૫૦ ઈલેક્ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાના લોકાર્પણ કાર્યક્રમ, બપોરે ૨ કલાકે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, કાળીયાબીડ ખાતે રત્નકલાકારોના બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ તેમજ બપોરે ૨:૪૦ કલાકે વરતેજ–બુધેલ રોડ, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી તથા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર “ચેરિટી ભવન”નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભાવનગરમાં ‘ચેરિટી ભવન’ નિર્માણ પામશે ; નાયબ મુખ્યમંત્રીના થશે હસ્તે ખાતમુહૂર્ત
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત તા.૧૪/૦૨/૨૦૨૬, શનિવારના રોજ બપોરે ૨ વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં યોજાશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ વરતેજ– બુધેલ રોડ પર, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે યોજાશે. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે.


