Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયાનો ઘટાડો

મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે ઉદ્દભવેલા ઊર્જા સંકટ વચ્ચે ભારત સરકારનો મહત્વનો નિર્ણય : ડીઝલ પર શૂન્ય અને પેટ્રોલ પર હવે ૩ રૂપિયા ડ્યુટી

dharmendravaghela by dharmendravaghela
2026-03-27 11:59:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટ તણાવના કારણે દેશમાં ઉભા થયેલા ઉર્જા સંકટ વચ્ચે સકકારે મોટું પગલું ભર્યું છે. સરકારે

આજથી પેટ્રોલ-ડીઝલ પર એક્સાઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એક્સાઇઝ ડયુટીમાં રૂ.10 નો ઘટાડો

કરવામાં આવ્યો છે. પેટ્રોલ પર ડ્યુટી હવે 13 ને બદલે 3 રૂપિયા અને ડીઝલ ઉપર હવે એક્સાઇઝ ડયુટી

શૂન્ય કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટાડો ગ્રાહકો માટે બચતમાં રૂપાંતરિત થાય તેવી શક્યતા ઓછી છે,

કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ લિટર થઈ રહેલા મોટા નુકસાનને સરભર કરવા માટે આ કટનો

ઉપયોગ કરશે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કર્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે

ઓઈલ કંપનીઓના ખૂબ જ ઊંચા નુકસાનને (પેટ્રોલ પર અંદાજે રૂ.24 પ્રતિ લિટર અને ડીઝલ પર રૂ.30

પ્રતિ લિટર) ઘટાડી શકાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે તેની ટેક્સની આવકમાં મોટો કાપ સહન કર્યો

છે. આ સાથે જ, પેટ્રોલ અને ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા તોતિંગ વધારાને ધ્યાનમાં રાખીને

એક્સપોર્ટ ટેક્સ પણ લાદવામાં આવ્યો છે, જેથી વિદેશોમાં નિકાસ કરતી કોઈપણ રિફાઈનરીએ એક્સપોર્ટ

ટેક્સ ચૂકવવો પડશે. આ સમયસરના સાહસિક અને દૂરંદેશી નિર્ણય બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અને કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માનું છું.આ ઘટાડા પછી જો ઓયલ કંપનીઓ પેટ્રોલ

અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે છે, તો ઈંધણના ભાવમાં રૂ.10 સુધીનો ઘટાડો થઈ શકે છે. અત્યાર

સુધી માત્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

કરવાનો નિર્ણય હવે ઓયલ કંપનીઓના નિર્ણય પર નિર્ભર રહેશે.

વર્તમાન બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર રૂ.48.8નું નુકસાન

થઈ રહ્યું છે, એટલે કે ભારતમાં વેચાતા પેટ્રોલ અથવા ડીઝલના દરેક લિટર પર તેઓ આટલી રકમ

ગુમાવી રહ્યા છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ તથા હોર્મુઝ ખાડીના રૂટ અવરોધાયા બાદ

વૈશ્વિક બેન્ચમાર્ક પ્રતિ બેરલ 100 યુએસ ડોલરને પાર કરી ગયો છે.

ગઈકાલે ખાનગી કંપની નાયરા એનર્જી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ.5.3 અને રૂ.3 પ્રતિ

લિટરનો મોટો વધારો ઝીંકાયાના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. દેશની સૌથી મોટી ખાનગી

ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જી 8.4 ટકા માર્કેટ શેર ધરાવે છે. દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ

અને કોલકાતામાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે ચેન્નાઈ અને બિહાર-ઝારખંડના કેટલાક શહેરોમાં

મામૂલી ફેરફાર જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને સ્થાનિક ટેક્સના

આધારે દરરોજ સવારે 6 વાગ્યે આ ભાવ નક્કી કરવામાં આવે છે.

Tags: indiapetrol diesel excise duty
Previous Post

મધ્ય પૂર્વના સંઘર્ષથી ભારતમાં ખાતર ઉત્પાદનમાં 10-15% ઘટાડાની ભીતિ

Next Post

એલપીજી પુરવઠો લઈને વધુ એક જહાજ જગ વસંત ગુજરાત પહોંચ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post

એલપીજી પુરવઠો લઈને વધુ એક જહાજ જગ વસંત ગુજરાત પહોંચ્યું

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો અકસ્માત : ૧૦ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.