ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરની પ્રતિષ્ઠિત કંપની ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના ડિવાઈડરમાં ૧૦૧ બોરસલીના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
બોરસલી વૃક્ષના ફળ પક્ષીઓનો પ્રિય ખોરાક છે.આયુર્વેદની દ્રષ્ટિએ દાંત અને પેઢાને મજબુત કરવા તથા પાચનક્રીયા માટે બોરસલી ખૂબજ ઉપયોગી છે. બોરસલીનું વૃક્ષ એ ડિવાઈડરમાં નાખવા માટે સૌથી ઉત્તમ વૃક્ષ છે. કારણ કે તે ઘેરાવા સાથે એકસરખી રીતે મોટુ થાય છે. તેની ડાળીઓ રોડ તરફ ફેલાતી નથી તેથી ટ્રાફીમાં બીલકુલ અડચણરૂપ બનતી નથી. અને દેખવામાં પણ સુંદર લાગે છે.આ વૃક્ષારોપણ ફાઈન રીફાઈનર્સ લી.ના માલિક અલીમિઝાનભાઈ વસાયા તથા તેમના સ્ટાફના સભ્યો જાવેદભાઈ વિરાણી સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા ફાઈન રીફાઈર્ન્સ લી. દ્વારા ૫૫ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ બંદર રોડ પરના તળવા પાસે કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, પિયુષભાઈ વ્યાસ, અવિનાશ ડોડીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.




