ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ વી.સી.લોઢાવાળા માતૃત્વ અને બાળ હોસ્પિટલ, પ્રતાપરાય શામજીભાઈ પારેખ પોલીકલીનીક, સંઘ ભવન, પથિકાશ્રમ, ભાવનગર ખાતે સ્વ. વિમળાબેન શાંતિલાલ મહેતાની પૂણ્યતિથિ નિમિત્તે પ્રબોધભાઇ શાંતિલાલ મહેતા તથા સમગ્ર મહેતા પરીવારના સૌજન્યથી તા.૧૫ ને બુધવારના વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાયો જેમાં આંખમાં ૨૦, કાન-નાક-ગળામાં ૩૫, દાંત વિભાગ ૧૧, ઓર્થોપેડિકમાં ૪, ફિઝીશ્યનમાં ૧૧ મળી કુલ ૮૧ દર્દીઓએ લાભ લીધેલ હતો.
જેમાં આંખ વિભાગના દર્દિઓને મોતિયો, ઝામર, વેલ, પરવાળા અંગેની તપાસ કરી આપવામાં આવી હતી, તથા આ કેમ્પમાં ઓપરેશન માટે પસંદ થયેલ દર્દિઓને જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગરના સહયોગથી મોતિયાના અધતન ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન લોઢાવાળા હોસ્પિટલ, પથિકાશ્રમ પાસે ગંગાજળિયા તળાવ ભાવનગર ખાતે કરી આપવામાં આવશે. કાન-નાક-ગળા વિભાગમાં ૫ દર્દીઓને માઇનોર પ્રોસિઝર કરી આપવામાં આવી હતી.આ કેમ્પનું દિપ પ્રાગટ્ય પી.એન.આર સોસાયટીના પ્રમુખ ક્રિષ્નકાંતભાઇ ચિત્તલીયા,કિર્તીભાઇ સંઘવી, રાજેશભાઇ હકાણી, સુર્યકાંતભાઇ ચાવડા, કિર્તિભાઇ ગાંધી, ડો ધ્રુવીલભાઇ નાયકના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.




