Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે જ પેપરલીક વિધેયક

રાજયપાલના સંબોધનમાં રાજય સરકારની સિધ્ધિઓ તથા ભાવિ કામગીરીનો સંકેત: પૂર્વ રાજયપાલ-સભ્યોને શોકાંજલી અપાઈ

aaspassdaily by aaspassdaily
2023-02-23 12:30:31
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજયપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. શાસક ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એકબીજા વિરૂદ્ધ રાજકીય રણનીતી ઘડવામાં આવી છેનવા નાણાકીય વર્ષનું બજેટ પેશ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસીક જીત મેળવનાર ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટર્મનું આ પ્રથમ બજેટ સત્ર છે. કોંગ્રેસનાં માત્ર 17 તથા આપના 5 સભ્યો જ છે. એટલે આપના વિપક્ષી સભ્યો અને વિપક્ષી નેતા વિના જ ધારાસભાનું સત્ર યોજાતુ હોય તેવુ ઈતિહાસમાં પ્રથમવાર બન્યુ છે. કોંગ્રેસને વિધાનસભાનાં કુલ સંખ્યાબળ કરતાં 10 ટકા બેઠકો મળી ન હોવાથી વિપક્ષનો દરજજો આપવામાં આવ્યો નથી.
વિધાનસભાનાં બજેટ સત્રનો પ્રારંભ રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં સંબોધન સાથે થયો હેતો તેમાં તેઓએ રાજય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને વિકાસનાં ભાવી આયોજનો વિશે સંકેત આપ્યો હતો. ત્યારબાદ સ્વર્ગવાસી થયેલા પૂર્વ રાજયપાલ ઓ.પી.કોહલી, પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ, મહિપતસિંહ જાડેજા તથા હરેશભાઈ ભટ્ટને શોકાંજલી અર્પણ કરવામાં આવી હતી.
29 માર્ચ સુધી ચાલનારા આ 35 દિવસના બજેટ સત્રમાં 27 બેઠકો મળવાની છે. પ્રથમ અને ત્રીજા શનિવારે પણ વિધાનસભા કાર્યવાહી ચાલુ રાખવાનું નકકી કરવામાં આવ્યું છે. જયારે સામાન્ય રીતે સોમથી શુક્રવાર સુધી જ વિધાનસભા કાર્યવાહી ચલાવાતી હોય છે. રાજય સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમ્યાન અર્ધો ડઝન વિધેયકો પેશ કરવામાં આવનાર છે તેમાં આજે પ્રથમ દિવસે જ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અટકાવવા બાબત) પેપરલીક વિધેયક રજુ કરવામાં આવનાર છે. 27મીએ ઈમ્પેકટ ફી મુદત વધારા, 28 મી એ ધો.1 થી 8 માં ગુજરાતી વિષય ફરજીયાત કરતુ અને મેડીકલ કોલેજોને એક છત્ર નીચે લાવતુ બીર રજુ થશે

આવતીકાલે બજેટ: 2.75 લાખ કરોડનું કદ હશે
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ નવા નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજુ કરશે. આ વખતે બજેટનું કદ 2.75 લાખ કરોડ આસપાસ રહેવાની સંભાવના છે. ગત વખતે બજેટનું કદ 2.43 લાખ કરોડનું હતું તેમાં 10 થી 12 ટકાનો વધારો થવાની સંભાવના છે. બજેટની 60 ટકા રકમ વિકાસ કાર્યો પાછળ વાપરતા પ્રોજેકટો-જોગવાઈઓ થવાની સંભાવના છે. જયારે 30 ટકા રકમ બીન વિકાસશીલ ખર્ચ પેટે વપરાશે. જાહેર દેવાની ચુકવણી પેટે 9 ટકાના ખર્ચની ફાળવણી થવાની સંભાવના છે. નાણાપ્રધાન દ્વારા જે આવક દર્શાવાશે.તેમાંથી 26 ટકા પોતાના વિવિધ વેરામાંથી ઉભા કરાશે.સ્ટેટ જીએસટીમાંથી 24 ટકા, લોન પેટે 20 ટકા, કરવેરા સિવાયની 7 ટકા તથા કેન્દ્રની ગ્રાંટ પેટે 3 ટકાની આવકની જોગવાઈ થવાની શકયતા છે.

 

Tags: budget session startgovernor speechgujarat vidhansabha
Previous Post

વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

Next Post

વારસાઈ જમીન અંગે ખોટો પેઢી આંબો બનાવતા તત્કાલીન તલાટી મંત્રી, સરપંચ સહિત ૧૫ સામે એફઆઇઆર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં સુભાષનગર શહેર ફરતી સડક પર ખોદી નાખેલો રોડ નવો ન બનાવાતા પરેશાની
Uncategorized

ભાવનગરમાં સુભાષનગર શહેર ફરતી સડક પર ખોદી નાખેલો રોડ નવો ન બનાવાતા પરેશાની

August 19, 2025
કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ
Uncategorized

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ

August 19, 2025
Uncategorized

Hogyan regisztráljunk a Shuffle Casino Hungary oldalán és kezdjük el a játékot?

August 19, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

વારસાઈ જમીન અંગે ખોટો પેઢી આંબો બનાવતા તત્કાલીન તલાટી મંત્રી, સરપંચ સહિત ૧૫ સામે એફઆઇઆર

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.