દિલ્હી ખાતે યોજાયેલ ઈન્ટુકમાં ત્રિ-વાર્ષિક અધિવેશનમાં એન.એફ.આઈ.આર.નાં મહામંત્રી ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગત તારીખ 22 અને 23 ફેબ્રુઆરી-2023નાં રોજ તાલકટોરા સ્ટેડીયમ, ન્યુ દિલ્હી ખાતે ઈન્ટુકનું ત્રિ- વાર્ષિક 33મું અધિવેશન યોજાયેલ, આ અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસ અધ્યક્ષ અને વિરોધ પક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખરગે ઉપસ્થિત રહીને ઉદ્ધઘાટન કરેલ. આ અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી લગભગ 10 હજાર કામદાર પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. બે દિવસ ચાલેલા આ અધિવેશનમાં કામદાર વિરોધી સરકારી નીતિ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવેલ જેમકે બેરોજગારી, નવી પેંશન નીતિ નાબુદ કરવી, ઠેકેદારી પ્રથા બંધ કરવી, કામદાર વિરોધી લેબર કોડનું અમલીકરણ અટકાવવું, ફિક્સ પગાર ધોરણનાં બદલે નિયમિત પગાર ધોરણો આપવાં વિગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવેલ.
અધિવેશનનાં અંતે રાષ્ટ્રિય પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા યોજાયેલ જેમાં ડો.સંજીવા રેડ્ડીની રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ નેશનલ ફેડરેશન ઓફ ઈંડિયન રેલવેમેનનાં મહામંત્રી ડો.એમ.રાઘવૈયાની ઉપાધ્યક્ષ તરીકે પુન: નિર્વાચિત ઘોષિત થયેલ તેમજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં મહામંત્રી તથા એન.એફ.આઈ.આરનાં સહાયક મહામંત્રી આર.જી.કાબર ની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી. આર.જી.કાબરની રાષ્ટ્રિય સચિવ તરીકે વરણી થતાં વેસ્ટર્ન રેલવેનાં તમામ રેલ કર્મચારીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળેલ.