રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભરતપુરના પ્રવાસે હતા. ભરતપુરમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પોતાના ઘરે પણ ગયા હતા જ્યા પરિવારજનોને મળીને ભરતપુર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગિરિરાજજીના દર્શન કરીને ભરતપુર રવાના થયા હતા પરંતુ ગોવર્ધન પહોંચ્યા પહેલા ભજનલાલ શર્માની કારનું ટાયર નીકળી ગયુ હતુ અને નાળામાં પડી ગયુ હતુ. મુખ્યમંત્રી જે સાઇડમાં બેઠા હતા તે કારનો ભાગ નીચે બેસી ગયો હતો અને ગાડી બંધ પડી ગઇ હતી. કારનું ટાયર નાળામાં પડતા અને કાર બંધ થયા પછી મુખ્યમંત્રીને બીજી કારમાં રવાના કરવામાં આવ્યા હતા. ડીંગ જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યુ કે કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી.