Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

દિલ્હીની શંભુ બોર્ડર પર ભેગા થયા ખેડૂતો

dharmendravaghela by dharmendravaghela
2024-02-14 11:32:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબ અને હરિયાણાના ખેડૂત પોતાની માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકવામાં આવ્યા છે. ખેડૂતોને રોકવા માટે મંગળવારે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. દિલ્હી સાથે જોડાયેલી સિંધુ બોર્ડર ટીકરી બોર્ડર, ગાજીપુર બોર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. આ સરહદો પર સીમેન્ટ અને લોખંડની બેરિકેડ લગાવવામાં આવી છે. આ સિવાય ખેડૂતોને રોકવા માટે કાંટાળા તાર અને કન્ટેનર પણ મુકવામાં આવ્યા છે. ખેડૂતોએ કહ્યું હતુંકે તે ફરી દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કરશે. ખેડૂતો પર પોલીસની કાર્યવાહીને લઇને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ છે.
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને જોતા ટિકરી-સિંધુ અને ઝરોડા બોર્ડરની સરહદને પુરી રીતે સીલ કરવામાં આવી છે જેથી ખેડૂત પોતાના ટ્રેક્ટર અને ટ્રોલીથી પાટનગરમાં ના ઘુસી શકે. યુપીની સાથે જોડાયેલી ચિલ્લા-ગાજીપુર બોર્ડરને પણ સીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર બેરિકેડ્સ, લોખંડના ખિલા અને કોંક્રીટના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે.
પંજાબ-હરિયાણા સરહદ પર ભેગા થયેલા ખેડૂતોને અલગ કરવા માટે પોલીસ તરફથી વોટર કેનન અને ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે આ દરમિયાન 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. કિસાન યૂનિયન તરફથી દાવો કરવામાં આવ્યો કે પોલીસની કાર્યવાહીમાં 100થી વધુ ખેડૂત ઘાયલ થયા છે.
ખેડૂતોના પ્રદર્શનને જોતા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે બે વખતની ખેડૂતો સાથે વાતચીતમાં કોઇ પરિણામ આવ્યું નથી. સમાધાન માટે ચર્ચા જરૂરી છે, તેમણે કહ્યું કે વાતચીતથી જ સમાધાન શક્ય છે. અમે રાજ્ય સરકારો સાથે વાત કરીને રસ્તો કાઢવા માટે તૈયાર છીએ.

 

Tags: border sealdelhikisan march
Previous Post

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ: સાંજે મોદી લોકાર્પણ કરશે

Next Post

સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે

સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરશે

‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.