Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે, કાલે હોય કે ના હોય

આસારામના વકીલે કોર્ટને જણાવ્યું, ઝડપી ન્યાયની આશા છે : 2 એપ્રિલથી આ કેસ પર સુનાવણી શરૂ થશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-16 11:57:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દુષ્કર્મ કેસમાં આસારામ 10 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે ત્યારે બાકીની સજા રદ કરવા ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને આસારામે હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી જજ એ.એસ. સુપેહિયા અને વિમલ વ્યાસની કોર્ટમાં ચાલી રહી છે. આસારામના વકીલ આશિષ ડગલી અને આઇ.એચ. સૈયદ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે. દુષ્કર્મ ઘટના બન્યાનાં 12 વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પણ રસોઈયાનું CRPC 164 મુજબ નિવેદન લેવાયું હતું, જેની હત્યા થઈ ચૂકી છે. 12 વર્ષ બાદ પીડિતાનો FSL કે મેડિકલ રિપોર્ટ પણ થઈ શકે નહીં. આસારામ કાલે હોય કે ના હોય, ત્યારે તેને ઝડપી ન્યાયની આશા છે.
કોર્ટે કહ્યું હતું કે વેકેશન પહેલાં 2 એપ્રિલથી આ કેસ પર સુનાવણી શરૂ થશે અને વેકેશન બાદ એનું જજમેન્ટ આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે આસારામને મળવા માટે નારાયણ સાઈએ કરેલી જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામ 2018થી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનની જેલમાં બંધ આસારામને મુંબઈમાં સારવાર માટે પોલીસ જાપતા સાથે રાજસ્થાન હાઇકોર્ટે મંજૂરી આપી છે.
સુરતની યુવતી સાથે દુષ્કર્મના કિસ્સામાં આસારામ સામે વર્ષ 2013માં IPCની કલમ 376, 377, 354, 357, 342, 346, 504, 506(2), 201, 175, 179 અને 120 B મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં ગત વર્ષે કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

Previous Post

વિપુલ ચૌધરીએ પાટીદારોની માફી માગી

Next Post

ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

આપણા સંગાથને એક દાયકો થઈ ગયો…’ : PM મોદીનો દેશવાસીઓને પત્ર

આપણા સંગાથને એક દાયકો થઈ ગયો...' : PM મોદીનો દેશવાસીઓને પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.