Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઝમ ખાનને 7 વર્ષ જેલની સજા : કોર્ટે 5 લાખનો દંડ પણ ફટકાર્યો;

વર્ષ 2016માં યુપીના ડુંગરપુરમાં સરકારી મકાનો તોડી પાડ્યાં હતાં

dharmendravaghela by dharmendravaghela
2024-03-19 11:37:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના રામપુરના પ્રખ્યાત ડુંગરપુર કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. એમપી એમએલએ કોર્ટે આઝમ ખાન સહિત 4 ગુનેગારને સજા સંભળાવી છે. તમામને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે 3 આરોપીને નિર્દોષ પણ જાહેર કર્યા છે. 16 માર્ચે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જેના પર સોમવારે સજા સંભળાવવામાં આવી છે. આ દરમિયાન આઝમ ખાન વીડિયો-કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર રહ્યા હતા.
આઝમ ખાન વિરુદ્ધ ડુંગરપુર કેસ MP MLA કોર્ટમાં પેન્ડિંગ હતો. આ કેસમાં પૂર્વ સીઓ સિટી આલે હસન ખાન, પૂર્વ પાલિકા અધ્યક્ષ અઝહર અહેમદ ખાન અને કોન્ટ્રેક્ટર બરકત અલી પણ દોષિત ઠર્યા છે. વરિષ્ઠ પ્રોસિક્યૂશન ઓફિસર અમરનાથ તિવારીએ કહ્યું હતું કે કોર્ટે દરેકને કલમ 495, 412, 452, 504, 506, 427, 120B હેઠળ દોષિત ઠેરવ્યા છે. જસ્ટિસ વિજય કુમારે અન્ય 3 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જેમાં જિબરાન ખાન, ફરમાન ખાન અને ઓમેન્દ્ર ચૌહાણ સામેલ છે.
સપા સરકાર દરમિયાન ડુંગરપુરમાં વિભાગીય યોજના હેઠળ આસરા મકાનો બનાવવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર પહેલાંથી જ કેટલાંક મકાનો બાંધવામાં આવ્યાં હતાં, જે સરકારી જમીન પર હોવાના કારણસર વર્ષ 2016માં તોડી પાડવામાં આવ્યાં હતાં. વર્ષ 2019માં જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે આ મામલે ગંજ પોલીસ સ્ટેશનમાં એક ડઝનથી વધુ અલગ-અલગ કેસ નોંધાયા હતા. આ મામલામાં આરોપ એવો હતો કે સપા સરકારમાં આઝમ ખાનના કહેવા પર પોલીસ અને એસપીએ આસરા આવાસ બનાવવા માટે તેમનાં ઘરો બળજબરીથી ખાલી કરાવ્યા હતા. બુલડોઝરનો ઉપયોગ કરીને મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ મામલામાં ચર્ચા દરમિયાન આઝમ ખાનનું નામ પણ સામેલ હતું.

Tags: 7 years kedaazamkhandungarpurup
Previous Post

પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

Next Post

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું

કવિતાએ કેજરીવાલ-સિસોદિયાને રૂ.100 કરોડ આપ્યા – EDનો દાવો

કવિતાએ કેજરીવાલ-સિસોદિયાને રૂ.100 કરોડ આપ્યા - EDનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.