Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPની 16,000 મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને રાહત

હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે : સુપ્રીમ કોર્ટ કહ્યું- આટલા વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા યોગ્ય નથી

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 11:46:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અલાહાબાદ હાઇકોર્ટના ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને ગેરબંધારણીય જાહેર કરવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે યુપી સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. કોર્ટનું કહેવું છે કે હાઈકોર્ટના નિર્ણયથી 17 લાખ વિદ્યાર્થી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવી યોગ્ય નથી.
22 માર્ચે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે યુપી મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. આ સાથે યુપી સરકારને એક સ્કીમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરી શકાય. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે અરજી પર સુનાવણી કરી હતી. આ કાયદો બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન કરે છે એમ કહેવું ખોટું હશે. યુપી સરકારે હાઇકોર્ટમાં પણ આ એક્ટનો બચાવ કર્યો હતો.
10 સપ્ટેમ્બર 2022થી 15 નવેમ્બર 2022 દરમિયાન મદરેસાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા બાદમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ સર્વેમાં રાજ્યમાં લગભગ 8441 મદરેસા મળી આવી હતી, જેને માન્યતા મળી નથી. મુરાદાબાદમાં સૌથી વધુ 550 મદરેસા, બસ્તીમાં 350 અને મુઝફ્ફરનગરમાં 240 મદરેસા ગેરકાયદે મળી આવી હતી. રાજધાની લખનઉમાં 100 મદરેસાને માન્યતા મળી નથી. આ સિવાય પ્રયાગરાજ-મઉમાં 90 મદરેસા, આઝમગઢમાં 132 અને કાનપુરમાં 85થી વધુ મદરેસા માન્યતા વગર મળી આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15, 613 માન્ય મદરેસા છે. ઓક્ટોબર 2023માં યુપી સરકારે મદરેસાની તપાસ માટે SITની રચના કરી હતી. SIT મદરેસાને આપવામાં આવતા વિદેશી ફંડની તપાસ કરી રહી છે.

Tags: Madresasupreme courtup
Previous Post

શાળામાં હીંચકે ઝૂલતી 2 સગી બહેનનાં મોત

Next Post

રૂપાલાને ન હટાવતા હવે જોહર કરવાની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
રૂપાલાને ન હટાવતા હવે જોહર કરવાની જાહેરાત

રૂપાલાને ન હટાવતા હવે જોહર કરવાની જાહેરાત

UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે : કાર્ડ રાખવાની જરૂર નથી

UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે : કાર્ડ રાખવાની જરૂર નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.