બાંગ્લાદેશમાં બળવા અને કટ્ટરપંથીઓના અત્યાચાર બાદ હજારો હિન્દુઓ ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, સરહદની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, BSF જવાનોએ તેમને શાંત કરીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પણ હજારો હિંદુઓ નાળામાં ઉભા રહીને વિનંતી કરી રહયા છે.
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ લઘુમતીઓ પરના અત્યાચારમાં વધારો થયો છે. ખાસ કરીને હિંદુઓ તેમના ઘર છોડીને ભારતમાં આશ્રય માટે વિનંતી કરી રહ્યા છે. હજારો હિન્દુઓ નદીઓ, નાળાઓ અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓ નાળામાં ઊભા રહીને BSFને વિનંતી કરવા મજબૂર છે. તે જ સમયે, BSF દેશની સુરક્ષાના પડકારનો પણ સામનો કરે છે. BSFના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા લોકોનું આ સૌથી મોટું જૂથ છે.
કૂચ બિહારના કાશિયાર બરુની વિસ્તારના પથાનતુલી ગામ પાસે બાંગ્લાદેશ બોર્ડર પર ઊંચા વાયર લગાવવામાં આવ્યા છે. વચ્ચે એક મોટું નાળું પણ છે. બાંગ્લાદેશમાંથી ભાગીને આવેલા હજારો લોકો આ નાળામાં ઉભા રહીને આજીજી કરવા મજબૂર છે. આમાંથી ઘણા લોકો ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવી રહ્યા હતા. BSF જવાનોએ તેમને સીમાથી 150 યાર્ડ દૂર ઝીરો પોઈન્ટ પર રોક્યા. BSFના જવાનોએ તેમને તેમના ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી પરંતુ કોઈ તૈયાર ન થયું. આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના દોઈ ખાવા અને ગેન્દુગુરી ગામના છે.
BSFના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશને તેમના લોકોને પરત લેવા વિનંતી કરી હતી. BSFના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ સીમા સુરક્ષા અને માનવતાવાદી સહાય વચ્ચે મોટા પડકારનો સામનો કરી રહ્યા છે.BSFના જવાનો આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યા છે. બંગાળના ઉત્તર 24 પરગણાના પેટ્રાપોલમાં ઘણા દિવસોથી બાંગ્લાદેશીઓ આવી રહ્યા છે.
અહેવાલ મુજબ બાંગ્લાદેશના ભરતકાઠીની એક મહિલાએ જણાવ્યું કે તે તેના પતિ સાથે મેડિકલ વિઝા પર ભારત આવી હતી. તેણે જણાવ્યું કે 3 ઓગસ્ટથી તે રાત્રે ઊંઘીશકી નથી. શુક્રવારે પણ તે સતત જાગતી રહી છે. 3જી ઓગસ્ટની રાત એક દુઃસ્વપ્ન જેવી હતી. તેણે જણાવ્યું કે તેના ઘરને ટોળાએ ઘેરી લીધું હતું. ટોળાએ અવામી લીગ ગ્રામ પંચાયત પાસેથી 12,000 રૂપિયાની માંગણી કરી હતી. રાત્રે જ 4500 રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી અને પછી ભીડ ત્યાંથી નીકળી ગઈ.