Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બે વખત કરેલી ભૂલ હવે ફરી ના થાય

રાજદ સાથે જોડાણ અંગે નીતિશ કુમારે શું કહ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-09-07 12:21:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાણ કરીને પલટુરામ તરીકે કુખ્યાત થઈ ગયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વખત પલટી મારીને રાજદ સાથે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડયું છે. જોકે, નીતિશ કુમારે શુક્રવારે આ અટકળો પર વિરામ મૂકતા કહ્યું હતું કે, બે વખત ભૂલ કરી ચૂક્યા છીએ. હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં કરીએ.
જદયુ પ્રમુખ નીતિશ કુમારે ત્રણ દિવસ પહેલાં પટનામાં રાજદ નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ સાથે નીતિશ કુમાર ફરી એક વખત પલટી મારીને ભાજપનો સાથ છોડી રાજદ સાથે જોડાણ કરશે તેવી અટકળો થવા લાગી હતી. આ પહેલાં જદયુએ એસસી એસટી અનામત, લેટરલ એન્ટ્રી સહિતના કેટલાક મુદ્દાઓ પર ભાજપથી અલગ વલણ અપનાવતા નીતિશ કુમારના છેડો ફાડવાની સંભાવનાઓ વધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું. જોકે, નીતિશ કુમારે શુક્રવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ રાજદ સાથે ક્યારેય નહીં જાય. તેઓ બે વખત રાજદ સાથે ગયા હતા, જે તેમની સૌથી મોટી ભૂલ હતી. હવે અમે આ ભૂલ ક્યારેય નહીં કરીએ. ભાજપ સાથે મળીને બિહારમાં ખૂબ સારું કામ કર્યું છે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે અનેક વખત કહ્યું હતું કે તેઓ હવે ક્યારેય રાજદ સાથે નહીં જાય. હવે ચૂંટણી પછી પહેલી વખત નીતિશ કુમારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના બિહાર પ્રવાસ પછી આ નિવેદન કર્યું હતું. નીતિશ કુમારના નિવેદન પછી તેજસ્વી યાદવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે નીતિશ કુમારે તેમની સામે ભોજનની થાળી આંચકી લીધી હતી. હવે આ જ નીતિશ કુમાર પીએમ મોદીના ચરણસ્પર્શ કરી રહ્યા છે. નીતિશ કુમારે પોતાને વિચારવાનું છે કે તેઓ શું કહેતા હતા અને શું કરી રહ્યા છે?

Tags: Biharjdu rjd aliancenitish kumarno mistake again
Previous Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૈન-જૈનેતર નાગરિકોને “મિચ્છામી દુક્કડમ’

Next Post

ભાવનગરના અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરના પાટોત્સવની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ભાવનગરના અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરના પાટોત્સવની ઉજવણી

ભાવનગરના અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરના પાટોત્સવની ઉજવણી

ભાવનગરમાં તખ્તેશ્વર રેસીડેન્સી ખાતે આયોજિત ગણેશોત્સવ નિમિત્તે શોભાયાત્રા

ભાવનગરમાં તખ્તેશ્વર રેસીડેન્સી ખાતે આયોજિત ગણેશોત્સવ નિમિત્તે શોભાયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.