Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ : પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં

ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવતા તંગદિલી

dharmendravaghela by dharmendravaghela
2024-09-11 11:26:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

છેલ્લા એક અઠવાડીયા દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ બાદ હવે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB,એસઓજી,બી ડીવીઝન,તાલુકા પોલીસના પીઆઈ,પીઆઈ,પીએસઆઈ સહિતના પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો.જોકે ત્યાર બાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોને અટકાયત કરીને તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઇજાઓ.પહોચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.

Tags: Bharuchganeshotsavgokulnagarpolice bandobast
Previous Post

આશ્રમ વિવાદમાં ભાવનગરના કોળી આગેવાનને ધમકી મળતા નિલમબાગ પોલીસને રજુઆત

Next Post

રાજ્યમાં ભેદી બીમારી માથું ઊંચકવા લાગી : 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજ્યમાં ભેદી બીમારી માથું ઊંચકવા લાગી : 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત

રાજ્યમાં ભેદી બીમારી માથું ઊંચકવા લાગી : 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત

અમદાવાદ : મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ : મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.