આસો નવરાત્રિ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે ક્યાં સમયે ખોલવામાં આવશે તે અંગે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મંદિર ટ્રસ્ટે નવરાત્રિ દરમ્યાન અહીં આવનારા દર્શનર્થીઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે નિજ મંદિરના કમાડ ક્યારે કેટલા સમયે ખોલવામાં આવશે તે અંગે જાહેરાત કરી છે.
નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવનાર છે. આ પંદર દિવસમાં પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 કલાકે બંધ કરવામાં આવશે. જ્યારે 10 દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ કરવામાં આવનાર છે. 3 ઓક્ટોબર અને એકમના દિવસે, 6 ઓક્ટોબરના ત્રીજના દિવસે, 11 ઓક્ટોબર આઠમના દિવસે, 13 ઓક્ટોબરના દસમના દિવસે અને 17મી ઓક્ટોબર પૂનમના દિવસે નીજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે ખોલવામાં આવશે. જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5:00 કલાકે ખોલવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવમાં આવ્યું છે.