Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૈન પરિવારનું 80 તોલા સોનું ચોરાયું : ચોરોને જોઈ સુરક્ષાકર્મીનું એક રાઉન્ડ ફાયરિંગ

14મી ડિસેમ્બરે દીક્ષા કાર્યક્રમમાં આ ઘરેણા તેમના સંતાનોને પહેરાવવાના હતા

dharmendravaghela by dharmendravaghela
2024-11-08 11:47:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બનાસકાંઠાનો એક પરિવાર પોતાના દીકરા-દીકરીના દીક્ષા ક્રાર્યક્રમ પહેલાં અંબાજી નજીકના જૈન મંદિરે દર્શને આવ્યો હતો. જ્યા રાત્રી રોકાણ દરમિયાન પાર્ક કરેલી કારમાંથી 80 તોલા સોનું અને એક લાખ ઉપરાતની રોકડ ચોર કારનો કાંચ તોડી ચોરી ગયા હતા. આ દરમિયાન ચોરોને જોઈ સુરક્ષાકર્મીઓએ એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી 14મી ડિસેમ્બરે દીક્ષા કાર્યક્રમ યોજાવાનો હતો તેમાં આ ઘરેણા તેમના સંતાનોને પહેરાવવાના હતા.જો કે ચોરી મામલે આ પરિવાર જૈન મંદિરની સુરક્ષા વ્યવસ્થા મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.
બનાસકાંઠાના વાવમાં રહેતા પીયૂષ મહેતા છેલ્લા ઘણા સમયથી સુરતના વેસુ વિસ્તારમાં રહે છે અને પોતાનો ધંધો કરે છે. તેમના ગામ વાવમાં 14મી ડિસેમ્બરે તેમના દીકરા-દીકરીનો દીક્ષાનો મોટો કાર્યક્રમ યોજાવાનો છે. તે પહેલાં 5 નવેમ્બરે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે સુરતથી કાર લઈને કુંભારિયાના જૈન મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમને રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે સંસ્થામાં રૂમ ન આપતાં મોટો હોલ આપવામાં આવ્યો હતો. જેથી મહેતા પરિવાર તેમનો કિંમતી સામાન કારમાં મૂકીને હોલમાં સૂઈ ગયો હતો. રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે એક ચોર તેમની કારમાંથી 80 તોલાથી વધુ સોનું અને રોકડા 1.5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. તે રાત્રે જ્યારે થોડો અવાજ સંભળાયો, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને 2 દિવસ થવા છતાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડ્યો નથી. જેથી ફરિયાદીએ સંસ્થા પર અનેક આક્ષેપો કર્યા છે.
પીયૂષ મહેતાના પરિવારમાં કુલ 2 પુત્રો અને 2 છોકરીઓ છે. 5 વર્ષ પહેલાં મોટી પુત્રીએ આ સંસાર છોડીને દીક્ષા લીધી હતી. આગામી મહિનાની 14મી ડિસેમ્બરે તેમની નાનો દીકરો અને નાની દીકરી સાંસારિક જીવન છોડીને દીક્ષા લેવાના છે.

Tags: 80 tola gold chorikumbharia jain mandir
Previous Post

અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ

Next Post

કેક-સમોસા પર CID તપાસ ! હિમાચલના CM માટે ઓર્ડર આપ્યો હતો, સ્ટાફને પીરસી દીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
કેક-સમોસા પર CID તપાસ ! હિમાચલના CM માટે ઓર્ડર આપ્યો હતો, સ્ટાફને પીરસી દીધા

કેક-સમોસા પર CID તપાસ ! હિમાચલના CM માટે ઓર્ડર આપ્યો હતો, સ્ટાફને પીરસી દીધા

AI વકીલ વકીલની CJI ચંદ્રચુડે કરી પૂછપરછ

AI વકીલ વકીલની CJI ચંદ્રચુડે કરી પૂછપરછ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.