Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતીનો દરજ્જો રહેશે યથાવત

સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે તેમણે ચુકાદો આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-11-08 12:10:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમના નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે ચાર ન્યાયાધીશોનો સર્વસંમતિથી અભિપ્રાય છે. મેં બહુમતી લખી છે. જ્યારે 3 જજોના અલગ-અલગ અભિપ્રાય છે. આ રીતે નિર્ણય 4:3 લેવામાં આવ્યો હતો.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શર્માએ નિર્ણય અંગે અસંમતિ વ્યક્ત કરી હતી, જ્યારે CJI DY ચંદ્રચુડે પોતાના અને જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા માટે બહુમતી નિર્ણય લખ્યો હતો. આ ચુકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આજે સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાત જજોની બેન્ચે 4-3 ના બહુમતથી આ અંગે ચુકાદો આપ્યો હતો.
સાત જજોની બેન્ચે 4-3 થી ચુકાદો આપ્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) એક લઘુમતી સંસ્થાન જ ગણાશે. આ સાથે આ ઐતિહાસિક ચુકાદામાં સીજેઆઈના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું કે લઘુમતી સંસ્થાનોના નવા માપદંડ નક્કી કરાશે અને તેની જવાબદારી ત્રણ જજોની બેન્ચને સોંપવામાં આવી છે.
AMUના લઘુમતી દરજ્જા અંગેનો વિવાદ 1965માં શરૂ થયો હતો. તત્કાલિન કેન્દ્ર સરકારે 20 મે 1965ના રોજ AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. જેને અઝીઝ બાશાએ 1968માં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા નથી. તેમાં ખાસ વાત એ હતી કે AMUને પક્ષકાર બનાવવામાં આવી નહોતી. 1972માં ઈન્દિરા ગાંધી સરકારે પણ સ્વીકાર્યું હતું કે AMU લઘુમતી સંસ્થા નથી. યુનિવર્સિટીમાં પણ આનો વિરોધ થયો હતો. પાછળથી ઈન્દિરા ગાંધી સરકારે 1981માં AMU એક્ટમાં ફેરફારો કર્યા અને યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા તરીકે જાહેર કરી. પછી 2006માં, AMUની JN મેડિકલ કોલેજમાં મુસ્લિમો માટે 50 ટકા MD, MS સીટો અનામત રાખવાના વિરોધમાં હિંદુ વિદ્યાર્થીઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે AMU લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ નિર્ણયના વિરોધમાં AMU સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

Tags: amu sattus judgementcjiindia
Previous Post

સત્યનો સમય આવે છે તો જોરથી બોલે છે- મોહન ભાગવત

Next Post

કલમ 370 મુદે આજે પણ કાશ્મીર વિધાનસભામાં ધમાલ : મારામારી, સૂત્રોચ્ચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કલમ 370 મુદે આજે પણ કાશ્મીર વિધાનસભામાં ધમાલ : મારામારી, સૂત્રોચ્ચાર

કલમ 370 મુદે આજે પણ કાશ્મીર વિધાનસભામાં ધમાલ : મારામારી, સૂત્રોચ્ચાર

ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી

ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.