કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર ઈશા ફાઉન્ડેશન દ્વારા 26મી ફેબ્રુઆરીએ કોઈમ્બતુરમાં આયોજીત મહાશિવરાત્રીના કાર્યક્રમમાં ગયા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સેક્રેટરી પીવી મોહને શિવકુમારની કોઈમ્બતુરની મુલાકાત પર નિશાન સાધ્યું હતું. પીવી મોહને સોશિયલ મીડિયા પર લખ્યું- શિવકુમાર એક એવા વ્યક્તિના આમંત્રણ પર ગયા હતા,જેણે રાહુલ ગાંધીની મજાક ઉડાવી છે.
પીવી મોહનના આરોપોનો જવાબ આપતા શિવકુમારે કહ્યું- હું હિન્દુ છું. હું હિન્દુ તરીકે જન્મ્યો છું અને હિન્દુ તરીકે જ મરીશ પણ હું બધા ધર્મોને માનું છું અને હું તેમનું સન્માન કરું છું. સદગુરુના કાર્યક્રમમાં જવા અંગે શિવકુમારે કહ્યું કે ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ આવ્યા અને મને (કોઈમ્બતુરમાં શિવરાત્રીની ઉજવણી માટે) આમંત્રિત કર્યો. તેઓ મૈસુરના છે. તે એક મહાન વ્યક્તિ છે અને હું તેમના જ્ઞાન અને તેમની પ્રશંસા કરું છું, પરંતુ ઘણા લોકો તેમની ટીકા કરે છે.