આજે દેશમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવાનો સમય અલગ અલગ હોય છે. લખનૌના ઐશબાગ ઇદગાહમાં પણ મહિલાઓ નમાજ અદા કરી શકશે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વારાણસીની જામા મસ્જિદમાં એક સાથે મોટી સંખ્યામાં નમાઝીઓ પહોંચ્યા. આ કારણે બધા લોકોને મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે જગ્યા મળી નહીં. આ પછી કેટલાક લોકોએ સીડીઓ પર ઈદની નમાઝ અદા કરી.
વક્ફ બિલના વિરોધમાં કાળી પટ્ટી પહેરેલા લોકો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ઇદગાહ મસ્જિદમાં નમાજ અદા કરવા પહોંચ્યા હતા. તમિલનાડુના ત્રિચીમાં મોટી સંખ્યામાં લોકોએ રસ્તાઓ પર નમાઝ અદા કરી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈદના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પટનાના ગાંધી મેદાન પહોંચ્યા. દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પર આવેલી મસ્જિદમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈને નમાજ અદા કરી.
ઉત્તર પ્રદેશમાં રસ્તા પર નમાઝ પઢવા પર પ્રતિબંધ બાદ પોલીસ-પ્રશાસન એલર્ટ પર છે. આ અંગે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IEMC)ના પ્રમુખ મૌલાના તૌકીર રઝાએ રવિવારે કહ્યું હતું કે હું જ્યાં ઇચ્છું ત્યાં નમાઝ અદા કરીશ, જોવ છું મને કોણ રોકે છે. આ મારો પણ દેશ છે. ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના પ્રમુખ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ રસ્તા પર નમાજ ન પઢવાની અપીલ કરી છે. ઉત્તર પ્રદેશમાં સવારથી જ શહેરોથી લઈને ગામડાઓ અને ઘરોમાં મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં લગભગ 30 હજાર મસ્જિદો અને 40 હજાર ઇદગાહોમાં ઈદ-ઉલ-ફિત્રની નમાજ માટે કડક સુરક્ષા વ્યવસ્થા છે. પ્રયાગરાજમાં ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. વારાણસીમાં, જામા મસ્જિદ ભરેલી હોવાથી સીડીઓ પર નમાઝ અદા કરવામાં આવી હતી. મુરાદાબાદમાં રસ્તા પર એક પણ નમાઝી નથી.