Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ 90 શ્રમિકો હતા, મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે અકસ્માત સ્થળની મુલાકાત લેશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-01 11:52:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પશમ્યલારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 34 પહોંચી ગયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આજે મંગળવારે આ અંગે માહિતી આપી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે જણાવ્યું હતું કે, ‘કાટમાળ દૂર કરતી વખતે ઘણાં મૃતદેહો મળી આવ્યા છે. કાટમાળમાંથી 31 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે.’
તેલંગાણાના આરોગ્ય મંત્રી દામોદર રાજા નરસિંહાએ જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે અકસ્માત સ્થળની મુલાકાત લેશે.’ મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને કાટમાળમાં દટાયેલા શ્રમિકોને બચાવવા અને તેમને સારવાર પૂરી પાડવા માટે શક્ય તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
સોમવારે ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટ પાછળ રાસાયણિક પ્રતિક્રિયા એક મુખ્ય કારણ હોઈ શકે છે. વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ 90 લોકો કામ કરી રહ્યા હતા. કંપનીની વેબસાઇટ અનુસાર, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના એ માત્ર અકસ્માત નહિ પણ હોનારત સાબિત થઇ રહી છે.

મૃતકોના પરિવારને પીએમ રાહત ફંડમાંથી રૂ.2 લાખની સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. નોંધનીય છે કે, ફેક્ટરીના શ્રમિકો ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોના છે.

Tags: chemichal fectory blasthaidrabadtelangana
Previous Post

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

Next Post

ધોળા ગામમાં આવેલ સંત ધનબાપાની જગ્યા ખાતે ધનબાપાની પુણ્યતિથિની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ધોળા ગામમાં આવેલ સંત ધનબાપાની જગ્યા ખાતે ધનબાપાની પુણ્યતિથિની ઉજવણી

ધોળા ગામમાં આવેલ સંત ધનબાપાની જગ્યા ખાતે ધનબાપાની પુણ્યતિથિની ઉજવણી

ભાવનગરના શિવાજી સર્કલ અને કુંભારવાડા વિદ્વતારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરના શિવાજી સર્કલ અને કુંભારવાડા વિદ્વતારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.