ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં
કહ્યું હતું કે, ભારતની રાષ્ટ્રી. સુરક્ષા આજે બહાર અને આંતરિક બંને મોરચા પર દબાણમાં છે. તેમણે ચીન,
પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંભવિત જોડાણને ભારતની સ્થિરતા અને સુરક્ષા માટે મોટું જોખમ
ગણાવ્યું. તેમણે કહ્યું કે, આજની વૈશ્વિક સ્થિતિ ખૂબ જ અસ્થિર છે, આખી દુનિયા જૂની વ્યવસ્થાથી નવા
વૈશ્વિક સંતુલન તરફ વધી રહ્યા છે. આ પરિવર્તન વચ્ચે અમેરિકાની ભૂમિકા પણ અનેક સ્તરે જટિલતા
પેદા કરી રહી છે.
CDS એ ભાર મૂકીને કહ્યું કે, ‘એક મજબૂત અને લવચિક અર્થવ્યવસ્થા કોઈપણ દેશની રાષ્ટ્રીય શક્તિનો
પાયો હોય છે. આર્થિક અને વ્યાપારિક સુરક્ષા પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્ત્વનો ભાગ છે. સ્થિર વિકાસ
અને ચકાઉ પ્રગતિ માટે મજબૂત અર્થવ્યવસ્થા જરૂરી છે. બહારના પ્રભાવોથી સુરક્ષા ત્યારે જ સંભવ છે,
જ્યારે દેશની આંતરિક સ્થિતિ મજબૂત હોય અને તેનો આર્થિક આધાર સ્થિર રહે. ભારત જેવા વિવિધતા
ભરેલા દેશમાં સામાજિક અને આંતરિક સુરક્ષાને હલ્કામાં ન લેઈ શકાય. આપણો દેશ બહુભાષી,
બહુધાર્મિક અને બહુજાતીય છે. એવામાં સામાજિક એકતાને જાળવી રાખવું ખૂબ જરૂરી છે.