શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં કાળા તળાવ ગામે ૮મી જુલાઈના રોજ નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૩૧૨ ગ્રામજનોની આરોગ્ય તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવા અને ચશ્માનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત શાળાના બાળકોના લોહીમાં હિમોગ્લોબીનની પણ તપાસ કરવામાં આવી હતી.
શિશુવિહારની આરોગ્ય ટીમના ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, છાયાબહેન રાણીગા, અંકિતાબેન ભટ્ટ સહિતના સભ્યો, નિરમા હેલ્થ સેન્ટરના મુકેશભાઈ ગોહિલ, સરપંચ અશોકભાઈ પરમાર અને આચાર્ય રમેશભાઈ ડાભીની ઉપસ્થિતિમાં આ કેમ્પ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સંકલન અનિલભાઈ બોરીચાએ કર્યું હતું.





