Thursday, July 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન

HSCની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૩૦ શાળાઓના આચાર્યોને પણ સન્માનિત કરાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 13:05:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર તથા એસ.વી.એસ-૫ (મંથન) મહુવાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહુવાની નૂતન વિદ્યાપીઠ ખાતે એક વિશેષ સન્માન સમારોહ તેમજ શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શાળાઓને બિરદાવવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં મહુવા તાલુકામાં વર્ષ ૨૦૨૬ની SSC અને HSC બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, ગૌરવરૂપ સિદ્ધિ હાંસલ કરી SSCની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર મહુવા તાલુકાની ૧૫ શાળાઓ અને HSC ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ લાવનાર ૩૦ શાળાઓના આચાર્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ વિશેષ ઉપસ્થિત રહીને સૌને ઊંડાણપૂર્વકનું શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના ઇ.આઈ. ડૉ. ડી. એસ. સોલંકી, ઇ.આઈ. એ.વી. સરવૈયા તથા એ.ઇ.આઈ. નિલેશભાઈ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણજગતના પી. બી. મકવાણા, ભરતભાઈ બલદાણીયા, ભરતભાઈ હડિયા, સંજયભાઈ સોલંકી અને સુખાભાઈ ડાભી સહિતના મહુવાના ગુરુજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Tags: mahuvavidhyarthi sanman
Previous Post

નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર

Next Post

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર
ભાવનગર

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

July 9, 2026
અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી
ભાવનગર

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

July 9, 2026
નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર
ભાવનગર

નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર

July 9, 2026
Next Post
અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.