Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

રેલવેમાં એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરો પાસેથી 1.63 લાખનો દંડ વસૂલાયો

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ

jatinsanghvi by jatinsanghvi
2022-09-17 16:14:38
in Uncategorized
Share on FacebookShare on Twitter

ટિકિટ વગર કે અનિયમિત ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પર નજર રાખવા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના વાણિજ્ય વિભાગની ટીમે સઘન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત 16 સપ્ટેમ્બર 2022ના રોજ ભાવનગર ડિવિઝનમાં 184 વ્યક્તિઓ પાસેથી 1 લાખ 63 હજાર 945 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.ભાવનગર રેલ્વે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર ડિવિઝન વતી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની આગેવાની હેઠળ ટ્રેનોમાં ટિકિટ વિનાની મુસાફરીને અટકાવવા માટે મંડળ રેલ પ્રબંધક મનોજ ગોયલના નિર્દેશાનુસાર મંડળ પર સઘન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર-ધોળા-બોટાદ-સુરેન્દ્રનગર ગેટ સેક્શનમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરની આગેવાની હેઠળ ટિકિટ ચેકિંગ સ્ટાફે રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે ટિકિટનું ચેકિંગ કર્યું હતું અને બીજી તરફ રાજકોટ-જૂનાગઢ-વેરાવળ સેક્શનમાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની આગેવાની હેઠળ ટિકિટ ચેકિંગ સ્ટાફે સુરક્ષા દળ સાથે ટિકિટ ચેકિંગ કર્યું હતું. અન્ય સેક્શનોંમાં, ટિકિટ નિરીક્ષકોના જૂથો ઝુંબેશમાં સામેલ હતા. આ ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન, વિવિધ ટ્રેનો અને સ્ટેશનો પર કરાયેલા ચેકિંગમાં 184 વ્યક્તિઓ સામે અનધિકૃત ટિકિટો અથવા બુક વગરના સામાન સાથે મુસાફરી કરવાના કેસ નોંધાયા હતા. આ કેસોમાં રેલવેને 1 લાખ 63 હજાર 945 રૂપિયા ના રાજસ્વ પ્રાપ્ત થયો છે. આ ડ્રાઇવ ટિકિટ વિનાના પ્રવાસીઓને રોકવા માટે ચાલુ રહેશે.

Previous Post

બેરોજગારી મુદ્દે યુવા કોંગ્રેસે ભજીયા તળી વિરોધ નોંધાવ્યો !

Next Post

સરકારે ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો, ભાવમાં થશે ઘટાડો

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Miért választják egyre többen a robocat casino online játékait?

August 12, 2025
ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી
Uncategorized

ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી

August 2, 2025
Uncategorized

Το Playzilla Casino στην Ελλάδα: Μια εμπεριστατωμένη ματιά στους χρήστες

August 1, 2025
Next Post
સરકારે ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો, ભાવમાં થશે ઘટાડો

સરકારે ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો, ભાવમાં થશે ઘટાડો

દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.