વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરમાં રોડ શો અને જંગી જાહેર સભા કરી ભાવનગર,બોટાદ, અમરેલી જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના પનોતા પુત્ર મનસુખભાઈ માંડવીયા, પરસોત્તમભાઈ રૂપાલા ભાવનગરના મહેમાન બનશે. આ ઉપરાંત રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના ૧૧ મંત્રીઓ ભાવનગર આવશે જેમાં જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશભાઈ મોદી, કિરીટસિંહ રાણા, પ્રદિપસિંહ પરમાર, જગદીશભાઈ વિશ્વકર્મા – પંચાલ, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ રૈયાણી કિર્તિસિંહ વાઘેલા તથા વિનોદભાઈ મોરડીયા અને આર સી. મકવાણાનો સમાવેશ થાય છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ભાવનગરના મેયર કિર્તિબેન દાણીધારિયા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવાલીયા, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ વિરાણી, સાંસદ ભારતીબેન શિયાળ, નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો પરષોત્તમભાઈ સોલંકી, કેશુભાઈ નાકરાણી, આત્મારામભાઈ પરમાર, વિભાવરીબેન દવે, સૌરભભાઇ પટેલ ભીખાભાઈ બારૈયા, જે વી કાકડિયા પણ વડાપ્રધાનના કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.
જયારે સરકારી કાર્યક્રમ હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યો કનુભાઈ બારૈયા, પરેશ ધાનાણી, અમરીશભાઈ ડેર, વિરજીભાઈ ઠુમ્મર, પ્રતાપ દુધાતના નામનો કોઈ ઉલ્લેખ જાેવા મળ્યો ન હતો!