ભાવનગરના માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માલણકા ખોડિયાર માઁના મંદિરે આસો મહિનાની નવરાત્રી ધામધુમથી ઉજવવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી દરમિયાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે અને દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. આસો નવરાત્રી નિમિત્તે આયોજીત નવચંડી યજ્ઞ, આસો સુદ-૧૦, દશેરાના દિવસે તા.૫ને બુધવારે થશે. પ્રણાલિકા પ્રમાણે રોનકભાઇ ઓઝાના આચાર્યપદે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારના ૧૦ કલાકે શરૂ થશે. શ્રીફળ હોમવાનો સમય સાંજના ૪ કલાકનો છે. આ પ્રસંગે સૌ સેવકોને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી નિમંત્રણ પાઠવાયું છે.