શુક્રવારે સવારે લગભગ 3.20 વાગ્યે વિમાન IGIના રનવે નંબર 29 પર લેન્ડ થયું હતું. જ્યાં ફ્લાઈટમાંથી 386 પેસેન્જર્સ અને 16 ક્રૂ મેમ્બર્સને લેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, આ પ્લેનની તપાસ કરવામાં આવી હતી જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દિલ્હી પોલીસે કહ્યું કે પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.
થોડા દિવસ પહેલા લાહોર એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ઈરાનના મહાન એરના પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ, વિમાનને ભારતીય ક્ષેત્રમાં ઉતારવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, જે ATCએ નકારી દીધી હતી. ભારતીય વાયુસેનાના સુખોઈ વિમાનને જોધપુર એરબેઝથી તેની પાછળ તૈનાત કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં આ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.