ગૂજરાત વિદ્યાપીઠને લઈ ફરી વિવાદ સામે આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવ જેટલા ટ્રસ્ટીઓએ રાજીનામાં ધરી દીધા છે. જેને લઈ વિવિધ ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે નવા કુલપતિની નિમણૂક વચ્ચે ટ્રસ્ટીઓના રાજીનામાંનું કારણ શું હોઈ શકે જે બાબતને લઈ વિદ્યાપીઠમાં અંદરો અંદર ચર્ચાઓ તેજ થઈ છે. નરસિંહ હઠીલા, ડૉ.સુદર્શન આયંગર, ડૉ.અનામિક શાહ અને ડૉ.મંદાબેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટનું રાજીનામું આપ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં કુલ 24 સભ્યો છે જેમાથી નવ ટ્રસ્ટીઓએ રાજીનામુ આપ્યું છે
શિક્ષણ ક્ષેત્ર અને વિદ્યાપીઠમાં ચર્ચાઓ નવ ટ્રસ્ટીઓઓના રાજીનામાંથી તેજ થઈ છે. જૂના નવ ટ્રસ્ટીઓએ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીપદેથી રાજીનામા આપુ દીધુ છે. રાજીનામુ આપવા પાછળના મુખ્ય કારણ નવા નિમણૂક થઈ રહેલા કુલપતિની પણ વાત ચાલી રહી છે એવી પણ ચર્ચા છે કે,રાજ્યપાલ કુલપતિ બને તો સરકાર સીધી રીતે વિદ્યાપીઠમાં દખલગીરી કરે તેમજ વિદ્યાપીઠ શિક્ષણ સિવાય પણ ગાંધીમૂલ્યો માટે જાણીતી છે અને રાજ્યપાલ ગાંધી વિચારક નથી તેવું ટ્રસ્ટીઓ માની રહ્યા છે તેવું પણ કહેવાય છે તેમજ સરકારે વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા લાંબા સમયથી વિદ્યાપીઠની ગ્રાન્ટમાં મોટો કાપ મૂક્યો હતો જે બાબતે ગ્રાન્ટ લેવા અને વિધાપીઠ બચાવવા કેટલાક ટ્રસ્ટીઓએ રાજ્યપાલને કુલપતિ બનાવ્યાની વાતે પણ જોર પકડ્યું છે. એવી પણ વાત વહેતી થઈ છે કે, સરકાર સાથે બેસવા સમંત થઈ કેટલાક ટ્રસ્ટીઓએ આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા ઈચ્છ છે અને વિદ્યાપીઠમાં જૂના અનેક કૌભાંડ પણ થયા છે જે પણ ઢાંકવા દેવવ્રતને કુલપતિ બનાવ્યાનો આરોપ કરવામાં આવી રહ્યો છે