સુપ્રીમ કોર્ટ વિવાદાસ્પદ નાગરિકા સંશોધન કાયદાને પડકાર આપતી અરજીઓ પર આજે (31 ઓક્ટોબરે) સુનાવણી કરશે. આ મામલામાં ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટના નેતૃત્વવાળી બેન્ચ સુનાવણી કરશે. સીએએ મુદ્દા પર 232 અરજીઓ દાખલ થયેલી છે, જેમાં મોટા ભાગની અરજીઓ જાહેરહીતની છે, જેને સૂચિબદ્ધ કરવામાં આવી છે.
આ અગાઉ ગત 12 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અરજીઓનો નિકાલ અને જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડીયાનો સમય આપ્યો હતો. સીજેઆઈ લલિતની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું હતું કે, સીએએને પડકાર આપતી અરજીને ત્રણ જજની પીઠને મોકલવામાં આવશે.
2019માં સંશોધિત સીએએ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શિખ, બૌદ્ધ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાયના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાનો પ્રયાસ કરે છે, જે 2014 સુધી દેશમાં છે. મુસ્લમોના બહિષ્કારને લઈને વિપક્ષી પાર્ટીઓ, નેતાઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા આકરી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દા પર મુખ્ય અરજી ઈંડિયન યૂનિયન મુસ્લિમ લીગે દાખલ કરી હતી.