સિહોર સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને અને સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જાેષીની વિશેષ ઉપસ્થિતમાં મહેન્દ્રભાઇના નિવાસસ્થાને જિલ્લાની તમામ મંડળીઓનું સ્નેહ મિલન સમારંભ યોજાયેલ, આ સ્નેહ મિલનમાં સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળીઓના કાર્યવાહકો ઉપસ્થિત રહ્યા હતા.