Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 5ના મોત અને 10 ઘાયલ

હિજાબ વિવાદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે

aaspassdaily by aaspassdaily
2022-11-17 10:43:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. ઈરાનમાં છેલ્લા 2 મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક અથડામણો થઈ છે, જેમાં ડઝન લોકો ઘાયલ થયા છે. ઇરાનના પશ્ચિમી શહેર ઇજેહમાં બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 5 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ છે. જોકે હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું અને અત્યાર સુધીમાં કોઈ આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી નથી લીધી.
આ ઘટના અંગેની માહિતી આપતા એક ખાનગી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. આ હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષાદળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે, આ હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, કેટલાંક પ્રદર્શનકારીઓ અહીં એકત્ર થયા હતા અને તેઓ સરકાર વિરોધી નારા લગાવી રહ્યાં હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર, આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા કાબુમાં લઇ લેવાઇ હતી. જોકે આ જ જગ્યાએ બાદમાં ફાયરિંગ થયું હતું.
આ અગાઉ 26 ઓક્ટોબરના રોજ ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 3 હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે ઘટી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી.

Tags: 5 dead in firing on protesterIran
Previous Post

બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ

Next Post

રેલવેના 80,000 કર્મચારીઓનું પ્રમોશન થશે સરળ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રેલવેના 80,000 કર્મચારીઓનું પ્રમોશન થશે સરળ

રેલવેના 80,000 કર્મચારીઓનું પ્રમોશન થશે સરળ

‘શિવલિંગ’ની પૂજા માટેની અરજી પર આજે ચુકાદો

'શિવલિંગ'ની પૂજા માટેની અરજી પર આજે ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.