દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) આગળ વધ્યુ છે. શિક્ષણ-પરીક્ષા ફોર્મેટમાં બદલાવનો નિર્ણય લીધો છે. વર્તમાન 10+2 ફોર્મેટના સ્થાને 5+3+2+4 ફોર્મેટ લાગુ કરાશે. જે વિશે તુર્તમાં સીબીએસઈ સંલગ્ન સ્કુલોને જાણ કરવામાં આવશે. બોર્ડના ચેરપર્સન નિધિ છીબ્બરે કહ્યું કે નવા ફોર્મેટને આગામી નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે.
નવા ફોર્મેટ અંતર્ગત 3થી6 વર્ષની વયના બાળકોને પણ શૈક્ષણિક સિસ્ટમમાં આવરી લેવામાં આવશે. અત્યારે પણ નાની વયના બાળકો માટે અનેક સ્કુલો પ્રિ-નર્સરી ચલાવી જ રહી છે. એ સીબીએસઈ તેને વિધિવત રીતે સિસ્ટમમાં સામેલ કરશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણનું ચાર ભાગોમાં વિભાજન કરાયુ છે. પ્રથમ તબકકામાં 3થી7 વર્ષના બાળકોના શિક્ષણને ફાઉન્ડેશન (પાયા)નુ નામ આપવામાં આવ્યું છે. ધો.3થી5માં 8થી11 વર્ષના બાળકો માટે બીજો તબકકો ‘પ્રિપેરટરી’ હશે. ધો.6થી8ને મીડલ કવરીંગ કલાસ કહેવાશે. જયારે ધો.9થી12 સેક્ધડરી કલાસ કહેવાશે. ધો.10થી12માં બોર્ડ પરીક્ષા યથાવત જ રહેશે. પરંતુ વર્તમાન બોર્ડ અને એન્ટ્રન્સ (પ્રવેશ) પરીક્ષાનું પુર્નગઠન કરાશે જે અંતર્ગત કોચીંગ-ટયુશન કલાસની જરૂરિયાત ખત્મ કરાશે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન બે બોર્ડ પરીક્ષાનો વિકલ્પ અપાશે. એક મુખ્ય પરીક્ષા હશે અને બીજુ પરિણામ સુધારવા ઈચ્છે તે વિદ્યાર્થી આપી શકશે.