Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની પ્રથમ ઔપચારિક બેઠક તા.9ના રાત્રે

તા.9ના સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા જણાવાયું , તા.12 પહેલા નવા મંત્રીમંડળની શપથવિધિની ભાજપની તૈયારી

aaspassdaily by aaspassdaily
2022-12-07 10:58:00
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તા.8ના મતદાન જાહેર થવામાં ભાજપે નવી સરકાર રચવાના ચક્રો ગતિમાન કરી લીધા છે અને તા.8ના પરિણામો બાદ તા.9ના સાંજ સુધીમાં પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની પ્રથમ ઔપચારિક બેઠક તા.9ના રાત્રે તથા નવા નેતા ચૂંટી કાઢવા પક્ષની બેઠક તા.10ના સાંજે અથવા 11ના સવારે મળશે તેવા સંકેત છે.
એક તરફ ગાંધીનગરમાં વિધાનસભા ભવન ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવકારવા તથા તેમને ઓળખપત્ર સહિતની કામગીરી માટે વિધાનસભા ભવનમાં ગ્રાઉન્ડફલોર ખાતેના રૂમોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ધારાસભ્યોને અહી નેવીગેટ કરવા પણ ખાસ વ્યવસ્થા છે. તેમજ જે ધારાસભ્યો નવા ચૂંટાશે તેઓને રહેવા માટે સર્કીટ હાઉસ પણ ખાલી રાખવા જણાવાયું છે.
તા.9 થી 12 સુધી સર્કીટહાઉસમાં કોઈ મેજર બુકીંગ કરવામાં આવશે નહી. આ ઉપરાંત પરિણામો આવતાની સાથે જ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ દિલ્હીથી ગુજરાત આવી પહોંચશે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેનાર છે. મંત્રીમંડળ સહિતનો ધમધમાટ તા.9 થી શરુ થઈ જશે અને ભાજપ તા.11 કે 12 ના રોજ ગાંધીનગરમાં જ ભવ્ય શપથવિધિ સમારોહ યોજે અને જો પક્ષ 127 બેઠકોની બહુમતીનો રેકોર્ડ તોડે તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથવિધિમાં હાજરી આપે તેવી ધારણા છે.
આ ઉપરાંત એક વખત નવા મંત્રીમંડળની રચના થઈ જાય પછી જે મંત્રીઓ ભૂતપૂર્વ થશે તેઓના બંગલા ખાલી કરવાની નોટીસ અપાશે. એક તબકકે અગાઉની રૂપાણી સરકારના જે મંત્રીઓ હતા તેમને તાત્કાલીક વિરોધ ન થાય તે માટે ગાંધીનગરમાં નવા બંગલા ફાળવાયા હતા પરંતુ તેમાં મોટાભાગના ધારાસભ્યપદે પણ રહેશે નહી તેથી તેમને આ બંગલા ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવશે. જો કે એકમાત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેનો બંગલો યથાવત રાખવા જણાવાય તેવી ધારણા છે.

Tags: gandhinagarNew elected MLA's meating
Previous Post

ભારતનો વિકાસ દર વધશે

Next Post

દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

aaspassdaily

aaspassdaily

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

RBIએ ફરી વધાર્યો 0.35 ટકા રેપો રેટ

RBIએ ફરી વધાર્યો 0.35 ટકા રેપો રેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.