Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ શહેરનાં વોટર પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યા માનવ અંગ

આ અંગો નર્મદા કેનાલ મારફતે પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા

aaspassdaily by aaspassdaily
2022-12-16 11:05:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં વિવિધ માનવ અંગો મળતા ચકચાર મચી ગઇ છે. આ અંગો નર્મદા કેનાલ મારફતે પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટમાંથી પુર્વ અમદાવાદમાં પાણીનો જથ્થો આપવામાં આવે છે. જોકે, પુરવઠાના પ્રાથમિક તબક્કામાં કર્મચારીઓના ધ્યાને આવી બાબત આવતા જ પલગાં લેવામાં આવ્યા હતા. AMC દ્વારા 15 MLD પાણીનો નાશ કર્યો છે. એએમસીએ જણાવ્યું છે કે, શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે શહેરનાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સવારે ઉપરવાસમાંથી નર્મદા કેનાલમાંથી પુરૂષનો એક કપાયેલો હાથ તણાઇ આવ્યો હતો. જે જોઇને કર્મચારીઓ અને અધિકારીઓ એલર્ટ થઇ ગયા હતા. તેમણે પાણીનું શુદ્ધિકરણ તરત જ અટકાવી દીધું હતુ. આવેલા કોહવાયેલા હાથને બહાર કાઢીને 15 એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણીના જથ્થાનો નાશ કરી દીધો હતો. 15 એમએલડી પાણી એટલે કે 1.5 કરોડ લિટર પાણીનો જથ્થો. આ પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ પ્લાન્ટમાંથી અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં પાણી મોકલવામાં આવે છે.
આ કોહવાયેલો હાથ મળતાની સાથે મ્યુનિ. તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે પ્લાન્ટ પર પહોંચી હાથનો કબજો મેળવી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મ્યુનિ. તંત્ર દ્વારા આ સફાઈમાં 15 એમએલડી પાણીને ફ્લશ આઉટ કરી દેવામાં આવ્યું હતું. જેથી શહેરીજનોને કોઇ નુકસાન થાય નહીં.સરદારનગર પોલીસના જણાવ્યા અનુસાર માનવ શરીરના અંગો મળી આવતાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags: Ahmedabadhuman hand foundwater plant
Previous Post

આસામમાં હાઈવે પર હાથીઓના હુમલામાં 3 લોકોના મોત, 2 ગંભીર

Next Post

નકલી એન્કાઉંટર કેસમાં 43 પોલીસકર્મીઓને 7 વર્ષની સજા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
નકલી એન્કાઉંટર કેસમાં 43 પોલીસકર્મીઓને 7 વર્ષની સજા

નકલી એન્કાઉંટર કેસમાં 43 પોલીસકર્મીઓને 7 વર્ષની સજા

વિજય દિવસઃ જાણો કેવી રીતે આજના દિવસે ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યો હતો પાઠ

વિજય દિવસઃ જાણો કેવી રીતે આજના દિવસે ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યો હતો પાઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.