દેશમાં બે માસના ચૂંટણીકાળની સમાપ્તી બાદ હવે આગામી ફેબ્રુઆરી માસમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ તથા કરવેરામાંના માળખામાં થનારા અનેક ફેરફારો બાજું સૌનુ ધ્યાન બંધાયું છે. એક તરફ નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના પ્રથમ પ્રી-બજેટ મંતવ્યમાં આગામી બજેટ અગાઉના બજેટની પરંપરાને આગળ ધપાવતુ હશે તેવો સંકેત આપી કોઈ મોટા ફેરફાર નહી થાય તેવું લગભગ નિશ્ચિત કર્યુ છે પણ આજે અપનાવી જીએસટી કાઉન્સીલની બેઠકમાં એક તરફ જીએસટીમાં વ્યાપકપણે બોગસ બિલિંગ સહિતના માર્ગો પર કરચોરી થઈ રહી છે.
બીજી તરફ જીએસટી આવક વધારવાના ઉપાયો પર પણ વિચારણા થશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળનારી આ બેઠકનું અધ્યક્ષસ્થાન નાણામંત્રી નિર્મલા સીતારામન કરશે અને રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોના નાણામંત્રી તેમાં ઉપસ્થિત રહેશે. બજેટ પુર્વેની આ સૌથી મહત્વની જીએસટી કાઉન્સીલની બેઠક છે. જેમાં એક તરફ વ્યાપારી ડરનું વાતાવરણ દૂર કરવા જીએસટીને ગેરરીતિને અપરાધી કાનૂનથી બહાર લાવવા તથા ધરપકડ સહિતની સતાઓ મર્યાદીત કરવાની જોગવાઈ પર વિચારણા થશે તો બીજી તરફ હવે 2017માં અમલી બનાવાયેલા આ નવા કરમાળખામાં અપીલ ટ્રીબ્યુનલ વિ.ની સ્થાપના પર પણ વિચારણા થશે.
ખાસ કરીને દેશમાં જે રીતે ઓનલાઈન ગેમીંગ અને તેવી સ્કીલ-નસીબ આધારીત ગેઈમીંગમાં મોટો ઉછાળો આવ્યો છે. તેના પર હવે જીએસટી લાદવાની તૈયારી છે. ગત બેઠકમાં ઓનલાઈન ગેમીંગ, ઘોડાદોડ અને કેસીનો પર 28% જીએસટી લાદવા પર વિચારણા થઈ હતી પણ સહમતી નહી બનતા તેના પર કોઈ નિર્ણય લેવાયો ન હતો. હવે તમામ પ્રકારના ઓનલાઈન ગેમીંગ પર 28% જીએસટી લાદવા પર આજે નિર્ણય થઈ શકે છે.
આ ઉપરાંત પાનમસાલા પર 28% જીએસટીને આગળ વધારી એક નવો મહત્વ વેરો 38% સુધી લઈ જવા પર વિચારણા થશે. આ બેઠકમાં ઈ-ઈન્વોસની આવશ્યકતા પર વધુ કડક નિર્ણયો લઈ શકાય છે. ઉપરાંત જે કંપની-પેઢી-વ્યક્તિ નાદાર થાય તો તેના જીએસટી લેણા વસુલવા ટ્રીબ્યુનલમાં કેમ લઈ જવા કંપનીઓને તેના સોશ્યલ સિકયોરીટી પર ટેક્ષ ક્રેડીટ અને વિમા કંપનીઓ જે નો-કલેમ બોનસ આપે છે તેના પર જીએસટી ક્રેડીટ આપવા વિચારણા થશે.
જીએસટીના અપરાધોને ક્રિમીનલ શ્રેણીમાંથી બહાર લાવી તેનો વિવાદ ટ્રીબ્યુનલ મારફત ઉકેલવાની વિચારણા થશે. ઉપરાંત હાલ જીએસટીમાં હાલ જે રૂા.5 કરોડની મર્યાદા બાદના અપરાધોમાં કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે તે વધારીને રૂા.20 કરોડ કરવાની ભલામણ છે.
38 ચીજો પર ખાસ ટેક્ષ આવશે
આજે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં કુલ 38 ચીજો પર ખાસ ટેક્ષ લગાવવાનો પ્રસ્તાવ છે. જેમાં પાનમસાલા, હુકકા, ચિલમ માટેના તંબાકુ જેવી ચીજો જેના છૂટક વેચાણ પર 12થી69% સુધીનો ખાસ ટેક્ષ લગાવવા પ્રસ્તાવ છે.