ઉત્તર પ્રદેશમાં શ્રીધામ વૃંદાવનના પ્રસિદ્ધ ભાગવત પ્રવક્તા દેવકીનંદન ઠાકુરને ફરી એક વાર જાનથી મારી નાખવા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમને આ ધમકી દુબઈથી મળી છે. ધમકી આપનારા તેમને મુસલમાન વિરુદ્ધ નહીં બોલવાની ચેતવણી આપ છે, આ સંબંધમાં ખુદ દેવકીનંદન ઠાકુરે વીડિયો નિવેદન જાહેર કર્યું છે. તે હાલમાં મુંબઈમાં ખારઘરમાં પ્રવચન આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો નિવેદનની સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરે છે.