સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં સવારે મંદિરે લક્ષ્મીનારાયણજીની મૂર્તિ પર પાંચ પ્રકારના ૬૦૦ કિલો પુષ્પો દ્વારા અભિષેક કરવામાં આવેલ અને બપોરે ત્રણ કલાકથી શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા સુંદર સંગીતની શૈલીમાં શ્રીમદ ભાગવત આ કળયુગમાં કોઈ પણ વ્યÂક્તને કઈ રીતે ભગવાન સુધી પહોંચવુ તેની સીડી રુપ છે તે સમજાવતા જણાવ્યું હતું કે ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાÂત્મક આનંદ અવિસ્મરણીય હોય છે. કારણકે ભગવાનનું વિસ્મરણ એ મોટી આપત્તિ આપતી હોય છે અને ભગવાનનું સ્મરણ એ સૌથી મોટી સંપત્તિ આપતી હોય છે માટે જ કોઈ ભૌતિક સુખ આપણને કાયમ માટે આનંદીત અને પ્રફુલિત રાખી શકતું નથી જ્યારે આધ્યાÂત્મક સુખ વ્યÂક્તને સદાય માટે આનંદીત અને પ્રફુલિત રાખે છે.
જે વ્યÂક્ત ભગવાનને શરણે જાય છે તેણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાની જાત સત્ય સ્વરૂપ ભગવાનને સોંપી દેવાની હોય છે પ્રેમપૂર્વક ભગવાનને શરણે રહેવું તેનાથી ઉત્તમ ઉપાસના આજના સમયમાં બીજી કોઈ જ નથી. તેથી આશ્રિત તેને કહેવાય જે પોતાના ઇષ્ટદેવનું સદાય સ્મરણ કર્યા કરે છે. પ્રતિદિન સંપ્રદાયના અલગ અલગ સ્થાનો એથી સંતો પધારી રહ્યા છે.