અમદાવાદઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી છે. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,પ્રધાનમંત્રી મોદીને આ માહિતી મળતા તેઓ આજે બપોરે બે વાગે માતાની તબિયતના ખબરઅંતર પૂછવા માટે ગુજરાત આવી શકે છે.
હીરાબાની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વર્ષે જૂનમાં તેઓએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. હાલમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબાને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.