Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચીન સહિત છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ફરજીયાત

આગામી 40 દિવસ ભારતમાં કોરોનાના સંક્રમણ સંદર્ભમાં મહત્વ: આરોગ્ય મંત્રાલય દ્વારા શ્રેણીબધ્ધ પગલા : દિલ્હી સહિતના વિમાની મથકે ટેસ્ટીંગ સેન્ટર પણ ઉભા કરાયા : બે દિવસમાં 6000ના રેન્ડમ ટેસ્ટ, 39 જ પોઝીટીવ મળ્યા : વિશ્વમાં ફેલાતી જતી કોરોના પેટર્ન પર પણ આરોગ્ય મંત્રાલયની નજર : નિયંત્રણો અપડેટ થતા રહેશે

aaspassdaily by aaspassdaily
2022-12-29 16:27:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં કોરોના સામે તમામ સાવચેતી છતા પણ જાન્યુઆરી માસમાં કોરોનાની 40 દિવસની એક લાંબી લહેર આવી શકે છે તેવી નિષ્ણાંતો દ્વારા અપાયેલી ચેતવણી બાદ હવે કેન્દ્ર સરકાર ખાસ કરીને ચીનમાં જે વેરિએન્ટ ફેલાયો છે તેની સામે લડવા અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે દિશામાં આગામી દિવસોમાં મોટા એકશન પ્લાન સાથે આવી રહી છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7એ ચીનમાં હાલ મોટાપાયે ફેલાયો છે અને આંતરિક રીતે લાખો લોકો તેનો ભોગ બન્યા છે અને મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા છે.
જો કે ચીને જે રીતે પ્રારંભથી જ કોરોના અંગે જે માહિતી સેન્સર કરી છે તેના પરિણામે સાચુ ચિત્ર જોવા મળતું નથી. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં વિદેેશથી આવતા પ્રવાસીઓમાં કોરોના પોઝીટીવની સંખ્યા વધવા લાગી છે અને તેના કારણે કેન્દ્ર સરકાર હવે ચીન ઉપરાંત અન્ય છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે નિયંત્રણો કડક કરે તેવા સંકેત છે. આજે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હી વિમાની મથકે ટેસ્ટીંગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય તેમજ વિદેશ મંત્રાલય તેમાં સંકલન કરી રહ્યા છે અને જે જે દેશોમાંથી કોરોના કેસ વધતા હોવાના અહેવાલ મળે છે તે દેશોમાંથી આવતી વિમાની સેવાઓ પર પણ વોચ રખાય રહી છે. ભારતે ચીન ઉપરાંત જાપાન, સાઉથ, કોરિયા, બેંગકોક અને સિંગાપુરથી આવનારા યાત્રી માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત બનાવ્યું છે. જેમાં તેઓએ વિમાની યાત્રાના 72 કલાક પૂર્વેનો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ પણ જોડવાનો રહેશે અને તે અપલોડ કર્યા બાદ તેમને ટીકીટ મળશે અને બાદમાં તેઓ ભારતમાં પ્રવેશ કરી શકશે. ખાસ કરીને ચીનથી જે રીતે વિદેશ જવા માટે ધસારો થયો છે તે દેશના પ્રવાસીઓ ભારત આવે તો પણ તેમના માટે પણ ટેસ્ટીંગ ફરજીયાત બનાવી દેવાશે. અમેરિકા સહિતના દેશો પણ આ પ્રકારના નિયંત્રણો લાદવા તૈયારી કરી રહ્યા છે.

આ ઉપરાંત પાડોશી દેશોમાંથી આવતા પ્રવાસીઓના પણ કોરોના ટેસ્ટીંગ થઇ રહ્યા છે. રવિવારે મ્યાનમારથી આવેલા 11 લોકોને એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચાડયા હતા જ્યાં નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ જ જવા દેવાયા હતા. છેલ્લા બે દિવસમાં 6000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ કરાયો છે જેમાં 39 પોઝીટીવ આવ્યા છે. હાલ રેન્ડમ ટેસ્ટીંગ કરાવામાં આવી રહ્યું છે પરંતુ જરુર પડે તમામનું ટેસ્ટીંગ પણશક્ય બનાવાશે.

કોરોનાનું જીનોમ સીકવન્સ ઝડપી બનાવાશે : દેશમાં 2.79 આઈસોલેશન બેડ તૈયાર
ચીનમાં ફરી એક વખત કોરોનાના સંક્રમણ માટે જવાબદાર ઓમિક્રોનના સબવેરિએન્ટ બીએફ.7ને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા આઈસોલેટ કરાયો છે અને તેના કારણે હવે જીનોમ સીકવન્સ પણ ઝડપથી બનશે. દેશમાં જીનોમ સીકવન્સની પ્રક્રિયા મર્યાદિત લેબોરેટરીમાં થાય છે અને તેના કારણે એક વખત નવો વેરિએન્ટ આવ્યે પછી બે-ત્રણ મહિને જાણ થાય અને ત્યાં સુધીમાં આ વેરિએન્ટથી કોરોના ફેલાય ગયો હોય તેને અટકાવવા માટે હવે ખાસ તૈયારી કરવામાંઆવી છે અને દરેક કોરોના દર્દીનું સેમ્પલનું જીનોમ સીકવન્સ શક્ય એટલું ઝડપી બને તેવી તૈયારી છે.

આ ઉપરાંત દેશમાં હાલ 2.79 લાખ આઈસોલેશન બેડ, 2.45 લાખ ઓક્સિજન સપોર્ટ બેડ, 64,711 આઈસીયુ બેડ, 49236 વેન્ટીલેટર સાથેની આઈસીયુ બેડ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત 11,830 મેડીકલ પ્લાન્ટ પણ ધમધમે છે. જે સતત ઓક્સિજન પેદા કરશે

 

Tags: airportindiaRTPCR
Previous Post

કોરોના સામે સરકારને 2 કરોડ કોવિશીલ્ડ ડોઝ નિ:શુલ્ક આપશે સિરમ

Next Post

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

રેડક્રોસ બ્લડ બેન્કના આધુનિક સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટનુ લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

રેડક્રોસ બ્લડ બેન્કના આધુનિક સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટનુ લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.