પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવારના અમુક લોકો હાજર રહ્યા હતા. માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ. મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.
આ અગાઉ પીએમ મોદીએ પણ શુક્રવારે થનારા પોતાના તમામ કાર્યક્રમોને પહેલાની માફક નિર્ધારિત સમય પર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના વિશે જાણકારી આપતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પીએમ મોદીના આજના એટલે કે, શુક્રવારના સત્તાવાર કાર્યક્રમોની યાદી જાહેર કરી હતી. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં બતાવામાં આવ્યું હતું કે, પીએમ મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થશે.