વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની વયે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. માતાના નિધન બાદ વડાપ્રધાન મોદી ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમની માતા હીરાબેનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.હિરાબાના નિધનના સમાચાર સાંભળી તેમનું ગામ વડનગર શોકમગ્ન છે અને વેપારીઓ આજે સ્વંયભૂ બંધ પાળશે.