રાજય સરકારના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે આ વખતે પણ દીકરા- દીકરીઓ મકરસંક્રાતિનું પર્વ ઉત્સાપૂર્વક ઉજવી શકે તેવા ઉમદા હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની ૨૭ શાળાઓ, પુર્વની ૨૬ શાળામાં અભ્યાસ કરતાં અનાથ અને દિવ્યાંગ વિધાર્થીઓ, ઇંદિરાનગર, નારી, વરતેજ ગામની બધી સરકારી શાળાઓ, ફૂલસર અને કુંભારવાડા સરકારી હાઈસ્કૂલ તેમજ અંધઉધોગ શાળા, તાપીબાઇ વિકાસ ગૃહ અને પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ સંસ્થા તથા શાળા કક્ષાએ એક વિધાર્થી દીઠ પાંચ પતંગ અને એક બિસ્કીટનું પેકેટ, અંદાજિત ૧,૦૦,૦૦૦ પતંગ અને ૨૦,૦૦૦ બિસ્કીટના પેકેટોનું વિતરણ કરાયેલ.
છેલ્લા ૧૦ વર્ષથી આ ઉપક્રમ મુજબ આ વખતે પણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દરેક શાળાએ પ્રત્યક્ષ જઈ બાળકો અને વાલીઓની સાથે સર્વાદ કરી નિયત કાર્યક્રમ મુજબ પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા.